Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ઋતુગત દેડકાની જેમ સંબિત પાત્રા ટર્ર-ટર્ર કરે છેઃ નવજોત સિંહ સિદ્ધુ

ભોપાલ તા.૧૩ : પોતાનાં નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ અને બીજેપીના પ્રવકતા સંબિત પાત્રા વચ્ચે પીએમ મોદી અને સોનિયા ગાંધીને લઇને વાકયુદ્ધ શરૂ થયું છે. સંબિત પાત્રાએ કાળા અંગ્રેજવાળા નિવેદન પર સોનિયા ગાંધીને ઘેર્યાબાદ નવજોત સિંહ સિદ્ધુએ પલટવાર કર્યો છે. સિદ્ધુએ કહ્યું કે ઋતુગત દેડકાની જેમ સંબિત પાત્રા ટર્ર-ટર્ર કરે છ.ેસિદ્ધુએ મધ્ય પ્રદેશમાં એક ચૂંટણીસભા સંબોધી હતી. જયાં તેમણે આ વાત કરી. ટ્વીટ કરીને સિદ્ધુએ કહ્યું, ''મોસમી દેડકાની જેમ સંબિત પાત્રા ટર્ર-ટર્ર કરે છે.મોસમી દેડકો જયારે ટર્ર-ટર્ર કરે તો કોયલ ચૂપ રહે છે. હાથી બજારની વચ્ચે ચાલ છે અને એક હજાર અવાજો આવે છે.'' સિદ્ધુએ પીએમ મોદી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશમાં જયારે શિવરાજ સિંહનું શાસન હતું ત્યારે રાજય બળાત્કારમાં નંબર-વન હતું અને આપણા પીએમ મહિલા સશકિતકરણની વાતો કરે છ.ે

(11:40 am IST)