Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ભાગેડુઓ પાસેથી અનેક ગણી રકમને વસુલ કરાઈ

વિજય માલ્યાનો પરોક્ષ રીતે ઉલ્લેખ

        દેવરિયા, તા. ૧૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં ચુંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. ઉત્તર પ્રદેશમાં દેવરિયા અને કુશીનગરમાં પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. દેવરિયામાં રેલી દરમિયાન મોદીએ ભારતથી ફરાર થયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાનો પણ પરોક્ષ રીતે ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું કે, એક ભ્રષ્ટાચારી બેંકો અને સરકારમાં બેઠેલા લોકોની મદદથી અમારા દેશના ગરીબોના નવ હજાર કરોડ રૂપિયા લઈને ફરાર થઈ જાય છે. પરંતુ વર્તમાન સરકાર ખુબ કઠોર સરકાર છે. આ ચોકીદારની સરકાર જે તે રકમ લઈને ભાગી ગયા છે તેના કરતા પણ સવા ગણી રકમ વસુલ કરી ચુકી છે. તમામ અપરાધીઓ સામે આવી જ કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(12:00 am IST)