Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

હિન્દી બાદ હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર ભોજપુરીમાં ફિલ્મ બનાવશે રવિ કિશન

સ્વામી વિવેકાનંદ અને અટલ બિહારી વાજપેયીનાં જીવન પર પણ ફિલ્મ બનાવવા વિચારણા

નવી દિલ્હી :મશહુર ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશને જણાંવ્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જીવન પર ભોજપુરીમાં એક ફિલ્મ બનાવશે.જેથી ભોજપુરી બોલી બોલવા-સમજવા વાળા લોકો પણ પીએમ મોદીનાં જવન વિશે જાણી શકે

  . તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી પર તેઓ સ્વામી વિવેકાનંદ અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનાં જીવન આધારીત ભોજપુરી ફિલ્મ પર કામ શરૂ કરશે.

    ગોરખપુર લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર રવિ કિશને જણાંવ્યું હતું કે,રાજનિતીમાં આવ્યા બાદ હું ફિલ્મોથી દુર થઇ જઇશ તેવું નથી. અહિં(ગોરખપુર)માં સ્ટુડીઓ બનાવીશું અને ફિલ્મોની શૂટીગ કરશું. સાથે જનતાની સેવા પણ થશે.

  તેમણએ કહ્યું કે,ભોજપુરી સિનેમા માટે અનેક વસ્તુઓ કરવાની છે, જે મારા દિમાગમાં છે. મોદીજી નાં જવન પર પણ એક બાયોપીક બનાવીશું. જેથી સમાજ કેમનાં જીવન વિશે જાણી શકે.

   રવિ કિશને જણાંવ્યું કે, તેમનાં સિવાય સ્વામી વિવેકાનંદ અને અટલ બિહારી વાજપેયીનાં જીવન પર પણ ભોજપુરી ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યો છું.

(12:00 am IST)