Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ભાજપના ડો.સંદીપ પાત્રા તથા તજિન્દર પાલ સિંઘ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર રદ કરતી છત્તીસગઢ હાઇકોર્ટ : દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુ તથા સ્વ.રાજીવ ગાંધી વિષે અયોગ્ય કોમેન્ટ કરી બદનામી કરવાનો આરોપ હતો

છત્તીસગઢ : દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.જવાહરલાલ નહેરુ તથા સ્વ.રાજીવ ગાંધી વિષે અયોગ્ય કોમેન્ટ કરી તેમની બદનામી કરવાના આરોપસર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો.સંદીપ પાત્રા તથા તજિન્દર પાલ સિંઘ વિરુદ્ધનોંધાયેલી એફઆઈઆર છત્તીસગઢ હાઇકોર્ટે રદ કરી છે.

 જસ્ટિસ સંજય કે અગ્રવાલએ જણાવ્યું હતું કે આવો આરોપ કરનાર વ્યક્તિની કલમ199(1) હેઠળ કોઈ ધાર્મિક લાગણી દુભાતી હોવાનું જણાયુ નથી.ફરિયાદી આ રાજકીય મહાનુભાવોના પરિવારમાંથી કે નજીકના સગામાંથી નથી. રાજકીય આગેવાનો વિરુદ્ધ માત્ર સાચા કે ખોટા આક્ષેપો કરવાથી બદનામીની એફઆઈઆર કલમ 505(1) હેઠળ માન્ય રાખી શકાય નહીં.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:59 pm IST)