Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

જેટ એરવેય્ઝના કર્મચારીઓનો વિરોધ પ્રદર્શન :ફાઉન્ડર નરેશ ગોયલ અને સીઇઓ વિરૂદ્ધ FIR દાખલ કરવા માંગ

નવી દિલ્હી :જેટ એરવેઝના કર્મચારી સંગઠને શુક્રવારે પોલીસ સામે માગણી કરી છે કે, એરલાઇન્સના ફાઉન્ડર નરેશ ગોયલ, સીઇઓ વિનય દુબે અને એસબીઆઇના ચેરમેન રજનીશ કુમાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે. એસબીઆઇ જેટની દેવાદાર બેન્કોનું નેતૃત્વ કરી રહી છે અને એરલાઇનનના રિઝોલ્યૂશન પ્લાન પર કામ કરી રહી છે. જેટ એરવેઝના કર્મચારીઓ સેલેરી નહીં મળવાથી નારાજ છે.

(12:43 pm IST)