Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

શિવસેનાના ઉદ્ભવ ઠાકરેના સવાલ બાદ ભાજપના રામ માધવ એ કહ્યું રામમંદિર મુદ્દે કોંગ્રેસ ન્યાયિક પ્રક્રિયાને રોકવાની કરે છે કોશિશ

નવી દિલ્હી :શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નિવેદન બાદ ભાજપના મહાસચિવ રામ માધવે ઉદ્ધવ ઠાકરેને વળતો જવાબ આપ્યો છે. રામ માધવે કહ્યું કે, ભાજપે હંમેશા રામ મંદિર માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. અમારી સરકાર હમેશા તમામ પ્રકારની કોશિશ કરી રહી છે કે, રામ મંદિર મામલે કાયદાકીય પ્રક્રિયા આગળ વધે. પરંતુ કોંગ્રેસ ન્યાયિક પ્રક્રિયાને રોકવાની કોશિશ કરી રહી છે

  . રામ માધવનું નિવેદન ત્યારે સામે આવ્યુ જ્યારે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

(11:16 pm IST)