Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

વડાપ્રધાન મોદીને રાહત અરવિંદ કેજરીવાલ લોકસભાની ચૂંટણી નહિ લડે : વારાણસીમાં 'આપ' ઉમેદવાર ઉભો રાખશે

2014ની લોકસભાની ચૂંટણીમાં મોદી વિરુદ્ધ કેજરીવાલ લડ્યા હતા અને બીજા નંબરે રહ્યાં હતા

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને રાહત મળી છે ગત ચૂંટણીમાં વારાણસીથી વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને પડકાર આપનારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી નહીં લડે. પરંતુ તેમના આમ આદમી પાર્ટીમાંથી કોઈ અન્ય મજબૂત ઉમેદવારને ચોક્કસપણે ઊભો રાખશે.

    અત્રે ઉલ્લેખનીય છે કે કેજરીવાલે ભાજપના વડા પ્રધાનપદના તત્કાલીન દાવેદાર નરેન્દ્રભાઈ  મોદીને પાછલી લોકસભાની ચૂંટણીમાં વારણસી બેઠક પરથી પડકાર આપ્યો હતો. પાર્ટી આ વખતે વારાણસીમાં કેજરીવાલનાં બદલે કોઈ અન્ય મજબૂત ઉમેદવાર ઊભો રાખશે.

2014ની લોકસભાની ચૂંટણીમાં તે મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડ્યા અને બીજા સ્થાને રહ્યા હતા.

 

 

(6:10 pm IST)