Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

વાજપેયી બાદ હવે વડાપ્રધાન મોદીએ ગુરૂ ગોવિંદ સિંહની યાદમાં સિક્કો બહાર પાડ્યો

ગુરૂ ગોવિંદસિંહે ખાલસા પંથ દ્વારા દેશને જોડવા કોશિશ કરી હતી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ગુરૂ ગોવિંદ સિંહની યાદમાં સિક્કો બહાર પાડ્યો છે. દેશભરમાં ગુરુ ગોવિંદસિંહની 352મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. પીએમ મોદીના આવાસ પર આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન સહિત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ હાજર રહ્યા હતા.

  પીએમ મોદીએ ગુરુ ગોવિંદ સિંહને નમન કરી જણાવ્યુ હતુ કે, ગુરૂ ગોવિંદસિંહે ખાલસા પંથ દ્વારા દેશને જોડવા કોશિશ કરી હતી 

   પીએમ મોદીએ કાર્યક્રમમાં કરતારપુર કોરિડોરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારના અથાગ પ્રયાસથી ગુરૂ નાનકના માર્ગ પર ચાલનારા તમામ ભારતીય દુરબીનની જગ્યાએ ગુરૂદ્વારામાં દરબાર સાહેબના દર્શન કરી શકશે

 

(5:56 pm IST)