Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ફેંસલો સાંભળતાં જ ગુરમીત હતાશઃ હનીપ્રીત પણ બેચેન

         પંચકુલા : પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા મામલામાં ન્યાયમૂર્તિ જગદીપસિંહએ બે વખત 'રામરહીમ તુ દોષી છો' તેવું કહેતા ગુરમીત ઉદાસ થઇ ગયો હતો. બીજી તરફ આ ફેંસલા અંગે જાણ થતાં અંબાલાની સેન્ટ્રલ જેલમાં કેદ હનીપ્રીત પણ બેચેન બની ગઇ હતી.  હકીકતમાં જજે પહેલીવાર કહ્યું ત્યારે વીડીયો કોન્ફરન્સિંગથી હાજર થયેલા ગુરમીતને સંભળાયુ નહોતુ. રામરહીમના  વાળ, દાઢી, સફેદ થઇ ગયા છે. અને ચહેરો સાવ ફિક્કો  પડી ગયો છે. ફેંસલો સાંભળતાની સાથે જ  ગુરમીત માથા પર હાથ રાખીને નીચે બેસી પડયો હતો.

(12:00 pm IST)