Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

કોંગ્રેસના મત અમારી પાર્ટીને મળતો નથી ;કોંગ્રેસે અને બીજેપી રાફેલ ડીલ મામલે સતા ગુમાવશે : માયાવતી

કોંગ્રેસ અને ભાજપ બંનેની કાર્યશૈલી એક જેવી :કોંગ્રેસના વોટ અમારી પાર્ટીને મળતા નથી

 

લોકસભા ચુંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં  બસપા અને સપા સાથે મળીને 38-38 સીટો પર ચુંટણી લડશે. જોકે બે સીટો કોંગ્રેસ માટે છોડી દીધી છે

 માયાવતીએ કહ્યુ કે, કોંગ્રેસના સમયમાં ઘોષિત ઈમરજન્સી હતી અને હાલ દેશમાં અઘોષિત ઈમરજન્સી છે. વધુમાં કહ્યું કે, કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા વગર અમે અમેઠી અને રાયબરેલીની સીટો છોડી દીધી છે. કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાથી અમને નુકશાન થાય છે કારણ કે તેમનો વોટ અમારી પાર્ટીને મળતો નથી.

  અખિલેશ યાદવની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરતા માયાવતીએ કહ્યું કે, બીજેપી અને કોંગ્રેસ બંનેની કાર્યશૈલી એક જેવી છે. કોંગ્રેસને બોફોર્સ મામલે સરકાર ગુમાવી પડી હતી. હવે બીજેપીને રાફેલ ડીલ મામલાને લઈને સરકાર ગુમાવી પડશે.

(10:11 pm IST)