Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

પ્રાંસલા શિબીરના ૩ શિબીરાર્થી મૃતકોના પરિવારજનોને ૪ લાખની સહાયઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટ તા.૧૩: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાંસલામાં શિબિર દરમ્યાન થયેલી આગની દુર્ઘટના પ્રત્યે દુઃખ વ્યકત કરી આ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજકોટ કલેકટરને આદેશો આપ્યા છે.

મુખ્યમંત્રીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલી ૩ શિબિરાર્થી દીકરીઓ પ્રત્યે સંવેદના વ્યકિત કરી તેમના પરિવાર જનોને મુખ્યમંત્રી રાહતનિધિમાંથી ૪ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે આ આગની ઘટનાની જાણકારી મળતા જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રને બચાવ અને મદદ માટે સંપર્ક કર્યુ હતું અને વિગતવાર માહિતી મેળવી હતી.

(12:52 pm IST)