Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

મતદાતાઓની હિંમતે દેશને નવી દિશા દેખાડી :નીડર મતદાતાઓને અભિનંદન ;ઉદ્ધવ ઠાકરે

ફાલતૂ સવાલોમાં ગુંચવાયા વગર જે નથી જોઈતું તેનેં નકારી દીધું છે. ઉખાડીને ફેંકી દીધા

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ બાદ કહ્યું કે ચૂંટણીમાં હારજીત થતી રહે છે. જે જીતે છે. તેને અભિનંદન અપાય છે. પરંતુ ચાર રાજ્યોમાં પરિવર્તન લાવનારા નિડર મતદાતાઓનું તેઓ અભિનંદન કરે છે.

 ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે ઈવીએમ, નાણાની લેણદેણ, ગુંડાગર્દી અને આનાથી પણ વિકલ્પ કોણ ? એવા ફાલતૂ સવાલોમાં ગુંચવાયા વગર તેમને જે ન હતું જોઈતું તેને નકારી દીધું છે. ઉખાડીને ફેંકી દીધા છે. આગળ શું થશે તે જોઈશું? આ જ અસલી હિંમત છે. મતદાતાઓની હિંમતે દેશને નવી દિશા દેખાડી છે. આ તમામ મતદાતાઓનું મનથી અભિનંદન કરું છું.

(1:16 pm IST)