Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

દેશમાં કોરોનાના કેસમાં મોટી રાહત : કેરળમાં ઘટતા કહેર વચ્ચે દેશમાં નવા 15.998 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 22,824 દર્દીઓ રિકવર થયા : વધુ 229 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.51,220 થયો :એક્ટીવ કેસ 2.00.869 થયા : કુલ કેસની સંખ્યા 3.40.00.478 થઇ

સૌથી વધુ કેરળમાં 7823 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2069 કેસ, મિઝોરમમાં 1430 કેસ, તામિલનાડુમાં 1289 કેસ, પશ્ચિમ બંગાળમાં 768 કેસ,ઓરિસ્સામાં 529 કેસ, આંધ્રપ્રદેશમાં 503 કેસ, કર્ણાટકમાં 332 કેસ,આસામમાં 226 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 15.998 કેસ નોંધાયા છે. જ્યારે 22.824 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા  15.998 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 229 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.51.220 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 15.998 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.40.00.478 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.00.869 થઇ છે છેલ્લા 24 કલાકમાં 22.824 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.33.35.282  લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 7823 કેસ, મહારાષ્ટ્ર્રમાં 2069 કેસ, મિઝોરમમાં 1430 કેસ, તામિલનાડુમાં 1289 કેસ, પશ્ચિમ બંગાળમાં 768 કેસ,ઓરિસ્સામાં 529 કેસ, આંધ્રપ્રદેશમાં 503 કેસ, કર્ણાટકમાં 332 કેસ,આસામમાં 226 કેસ નોંધાયા છે

(1:08 am IST)