Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રાકેશ ઝુનઝુનવાલાની 'આકાશ એર'ને ઉડ્ડયન મંત્રાલયે આપ્યું NOC

આકાશા એર ભારતીયો માટે દેશની સૌથી વધારે ડિપેન્ડેબલ, એફોર્ડેબલ અને ગ્રીનેસ્ટ એરલાઈન લોન્ચ કરશે : એરલાઈનમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ અંદાજે ૨૪૭.૫૦ કરોડ રૂપિયા

નવી દિલ્હી,તા. ૧૨: ભારતીય શેર માર્કેટના વોરેન બફેટ ગણાતાં માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. આકાસા એરની યોજના આગામી વર્ષ ૨૦૨૨દ્ગક ગરમીઓમાં એરલાઈન સેવા શરૂ કરવાની છે. આકાસા બ્રાન્ડ નેમથી ભારતીય એવિએશન સેકટરમાં ઉતરી રહેલી SNV એવિએશન પ્રાઈવેટ લિમિટેડને સિવિલ એવિએશન મંત્રાલય દ્વાર નો ઓબ્જેકશન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે

અત્યાર સુધી આકાસા એરલાઈન અંગે વધારે જાણકારી સામે આવી નથી. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ એરલાઈનનું ભાડું અન્ય એરલાઈન્સ કરતાં ખુબ જ સસ્તું હશે. અને આ એરલાઈનમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ અંદાજે ૨૪૭.૫૦ કરોડ રૂપિયા એટલે કે ૪૦ ટકા જેટલું હોઈ શકે છે. જો કે, આકાસા એરના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું કે, આકાશા એર ભારતીયો માટે દેશની સૌથી વધારે ડિપેન્ડેબલ, એફોર્ડેબલ અને ગ્રીનેસ્ટ એરલાઈન લોન્ચ કરશે.

લો કોસ્ટ કેરિયર એક નો ફ્રિલ્સ એરલાઈન્સ હોય છે, એટલે કે તેમાં ઈન ફ્લાઈટ એન્ટરટેઈન્ટમેન્ટ, ખાવા-પીવાની વસ્તુઓ તેમજ બિઝનેસ કલાસ સીટિંગ જેવી સુવિધાઓ નહીં હોય. અગાઉ ઈન્ડિયા આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ કેપ્ટન જીઆર ગોપીનાથે વર્ષ ૨૦૦૩માં એર ડેક્કનની શરૂઆત કરી હતી. અને તે પણ ભારતની પ્રથમ લો કોસ્ટ એરલાઈન હતી. અન્ય એરલાઈન કંપનીઓનાં ભાડા કરતાં ડેક્કનનું ભાડું અડધું હતું. જો કે, ૨૦૦૭માં ગોપીનાથે એરલાઈનને વિજય માલ્યાને વેચી દીધી હતી. અને ૨૦૧૧માં આ કંપની બંધ થઈ ગઈ હતી.

એવી ખબર પણ સામે આવી રહી છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ પહેલાં હપ્તામાં ૪૩.૭૫ કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. અને રાકેશ ઝુનઝુનવાલા તરફથી જ આ રોકાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુબઈના એક રોકાણકાર અને ન્યૂ હોરાઈઝન ઈન્વેસ્ટમેન્ટ ફંડના સંસ્થાપક માધવ ભટકુલીએ આકાસા એરમાં ૧૭ ટકા માટે ૬.૨૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

(9:48 am IST)