Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

રક્ષામંત્રી રાજનાથસિંહ કાલે હરિયાણામાં ત્રણ રેલી સંબોધશે :મહારાષ્ટ્રમાં પણ બે દિવસ સભા ગજાવશે

હરિયાણા અને મહારાષ્ટ્રમાં 13 થી 18 ઓક્ટોબર સુધી પાર્ટી માટે પ્રચાર કરશે

નવી દિલ્હી :  ભાજપ નેતા તેમજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પાર્ટી ઉમેદવારો માટે 13 ઓક્ટોબરથી ઘણી રેલીઓ કરશે. ભારતીય વાયુસેનાને પહેલુ રાફેલ ફાઈટર પ્લેન સોંપવાના કાર્યક્રમમાં શામેલ થવા માટે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાંસ ગયેલા રાજનાથ સ્વદેશ પાછા આવ્યા અને તેમણે પોતાની યાત્રાને અત્યંત સાર્થક ગણાવી. તેમણે ટ્વિટ કર્યુ, હું હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓમાં 13 થી 18 ઓક્ટોબર સુધી પાર્ટી માટે પ્રચાર કરીશ.

હરિયાણામાં 13 ઓક્ટોબરના રોજ ત્રણ રેલીઓને સંબિધિત કરીશ. રાજનાથે કહ્યુ કે હરિયાણા બાદ તે મહારાષ્ટ્રમાં બે દિવસ 14 અને 15 ઓક્ટોબરના રોજ ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મત આપવામાં આવશે જ્યારે પરિણામો 24 ઓક્ટોબરના રોજ આવશે. 90 વિધાસભા સીટોવાળા હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન થશે.

(10:08 am IST)