Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વૃશ્ચિક રાશીમાં ગુરૂનું આગમનઃ જ્યોતિશશાસ્‍ત્રના કથન મુજબ અનેક અસર થશે

 

જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની સૂર્યની સ્થિતિ અનુસાર વિવિધ પ્રકારની ગતિનો ઉલ્લેખ છે. તેમાં વક્રી અને અતિચારી ગતિને અશુભ ફળ આપનારી માનવામાં આવે છે. કોઈ ગ્રહ સૂર્યથી દૂર જાય તો તેને ગ્રહની વક્રી ચાલ ગણવામાં આવે છે અને ગ્રહ સૂર્યની નજીક આવી જાય તો ગુરુત્વાકર્ષણને કારણે તેની ગતિ તેજ થઈ જાય છે. ઘટનાને જ્યોતિષની ભાષામાં ગ્રહની અતિચારી ચાલ કહેવા છે. અતિચારી ગ્રહ પાકનો નાશ કરે છે, મોંઘવારી વધારે છે અને સમયે ઋતુમાં મોટા મોટા પરિવર્તન આવે છે. 11 ઓક્ટોબરે ગુરુનું રાશિ પરિવર્તન થઈને તે વૃશ્ચિક રાશિમાં આવવાનો છે. જાણો તેની તમારા જીવન પર કેવી અસર પડશે.

શિયાળો વહેલો આવશેઃ

11 ઓક્ટોબર 2018 ગુરુ જળ તત્વની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. તેના પ્રભાવને કારણે દેશના અનેક ભાગમાં અસાધારણ વરસાદ પડશે. બંગાળની ખાડીમાં ઊભા થયેલા પ્રેશરને કારણે ઓડિશા, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારોમાં આવનારા એક સમયમાં સારો વરસાદ પડશે. ઓક્ટોબરના છેલ્લા દિવસોમાં તુલા રાશિમાં બનતી શુક્ર અને બુધની યુતિને કારણે અનેક ભાગમાં બરફ વર્ષા થશે.

રાજ્યોમાં પડશે વરસાદઃ

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વિશેષ રૂપે ખૂબ જોરદાર વરસાદ અને બરફ વર્ષાથી પાકને નુકસાન થશે. દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તામિલનાડુ, કેરળ, કર્ણાટકના અનેક હિસ્સામાં પૂર આવવાની શક્યતા છે. નવેમ્બર મહિનામાં ચેન્નાઈમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

પ્રજાને કષ્ટ પડી શકે છેઃ

સામાન્ય રીતે શુક્ર એક રાશિમાં 33 દિવસ સુધી રહે છે. પરંતુ વર્ષે શુક્રએ 1 સપ્ટેમ્બરે તુલા રાશિમાં પ્રવેશ કર્યો હતો અને 5 ઓક્ટોબરે તે વક્રી થઈ ગયો હતો. હવે શુક્ર 6 નવેમ્બરે માર્ગી થઈને 31 ડિસેમ્બર સુધી તુલા રાશિમાં રહેશે. બૃહત્સંહિતા અનુસાર આવા ગ્રહ યોગોથી પાકને હાનિ, બરફ વર્ષા, તાવ અને ગળાના રોગ ફેલાવવાથી પ્રજાને ખાસ્સી તકલીફ પડે છે. વખતે શિયાળો વહેલો શરૂ થઈ જશે. વાઈરલ તાવ અને ગળાના દુઃખાવાને થતી બીમારીઓને કારણે પ્રજાને કષ્ટ થઈ શકે છે.

રાજ્યોમાં જલ્દી શિયાળો આવશેઃ

20 ઓક્ટોબરથી 5 જાન્યુઆરી 2019 સુધી ગુરુ અતિચારી રહેશે. આથી ડિસેમ્બર મહિનામાં પહાડો પર ખૂબ બરફવર્ષા થશે. પહાડો પર બરફવર્ષાને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં શીત લહેરનો પ્રભાવ જોવા મળશે.

સરકાર પર પડશે આવી અસરઃ

ગુરુ અતિચારી થવાથી ઉપદ્રવ અને સત્તા વિરોધી લહેરનો સ્પષ્ટ સંકેત મળે છે. વૃશ્ચિક રાશિથી પ્રભાવિત ભાજપ અને વડાપ્રધાન મોદી માટે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીઓ આકરી પુરવાર થઈ શકે છે. નરેન્દ્ર મોદી અને ભાજપના જન્મકાલીન ચંદ્ર પરથી અતિચારી ગુરુનું ગોચર થઈ રહ્યું છે. કારણે વિધાનસભાની ચૂંટણીમાં તેમના માટે બહુ સારા યોગ નથી.

2019માં મળશે રાહતઃ

આગામી 5 જાન્યુઆરી 2019 સુધઈ મોંઘવારી, બેરોજગારી અને સરકાર વિરોધી આંદોલન મોદી સરકાર અને ભાજપ માટે માથાનો દુઃખાવો બની રહેશે. પછી ગુરુ જળતત્વની રાશિ મીનમાં આવશે. આથી સરકાર પેટ્રોલ-ડીઝલને લઈને એવો નિર્ણય લેશે જેનાથી જનતાને મોટી રાહત મળી શકે છે.

શેરબજારઃ

વૃશ્ચિક રાશિમાં ગુરુ આવવાથી ઓક્ટોબરના બીજા પખવાડિયામાં શેર બજાર પર ગુરુની અસર દેખાશે. બજાર તૂટતુ અટકાવવામાં અમુક અંશ સુધી ગુરુ મદદગાર પુરવાર થશે. તુલમાં બુધ અને શુક્રની યુતિ સાથે બીજા ઘરમાં ગુરુના પ્રવેશથી શેર માર્કેટમાં લોકલ ઈન્વેસ્ટર્સની ખરીદી વધતા ઓક્ટોબર-નવેમ્બરમાં શેરબજાર સુધરશે.

(12:00 am IST)