Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

બિહાર ચૂંટણી : ચૂંટણીના પડઘમ વાગ્યા : ૧૬ સપ્ટેમ્બરના ચિરાગ પાસવાનએ બોલાવી પાર્ટી સાંસદોની બેઠક, ૧૪૩ સીટો પર ઉમેદવાર ઉતારવા પર થશે ચર્ચા

આજ પટનામાં મુખ્યમંત્રી નીતિશકુમાર અને બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઇ બેઠકમાં બંને દળો વચ્ચે સીટ વહેંચણીને લઇ ચર્ચા થઇ માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં નીતિશકુમાર બીજેપીની સામે સીટ વહેંચણીને લઇને એક ફોર્મ્યુલા આપી છે. પણ નીતિશકુમારને લઇ ચિરાગ પાસવાન સતત આક્રમક દેખાય છે.

અધ્યક્ષ ચિરાગ પાસવાનએ ૧૬ સપ્ટેમ્બરના પોતાના બધા સાંસદોની બેઠક બોલાવી છે દિલ્હીમાં થનારી  બેઠકમાં બિહારના રાજનીતિક હાલત પર ચર્ચા કરવામાં આવશે.

(12:29 am IST)