Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ડીવાઈન એન્ટરટેઈનમેન્ટ દ્વારા ૨૦મીએ ફેસબુકમાં મહામૃત્યુંજય જાપ- ધનવંતરી આરોગ્ય મંત્ર જાપ અનુષ્ઠાન

કોરોનાને નાથવા અને વિશ્વ શાંતિ માટે ડો.વ્યાપ્તી જોશી (દુબઈ) દ્વારા આયોજન

રાજકોટઃ મૂળ મહેસાણાના વતની અને હાલ દુબઈમાં સ્થાયી થયેલા ડિવાઈન એન્ટરટેઈનમેન્ટ અને ડિવાઈન મેનેજમેન્ટના સ્થાપક તેમજ મેનેજીંગ ડાયરેકટર એવા ડો.વ્યાપી જોશી દ્વારા કોરોનાની મહામારીને દૂર કરવા અને વિશ્વ શાંતિ માટે ભૂદેવો દ્વારા મહામૃત્યુંજય જાપ સાથે ધનવંતરી આરોગ્ય મંત્ર જાપ અનુષ્ઠાનનું આયોજન આગામી ૨૦ સપ્ટેમ્બરના રવિવારે ઓનલાઈન કરવામાં આવ્યું છે. ૨૦મી સપ્ટેમ્બરે સવારે ૯:૩૦ (ભારતીય સમય મુજબ) જાપ અનુષ્ઠાનનો પ્રારંભ થશે, જયારે સાંજે ૪:૩૦ વાગે પુર્ણાહુતી થશે. તો સર્વે લોકોને ડો.વ્યાપ્તીબેનના ફેસબુક પેઈજ https://www.facebook.com/vyapti.joshi પર તા.૨૦ના રોજ ઓનલાઈન જોડાવવા ખાસ વિનંતી કરવામાં આવી છે.
 

(11:53 am IST)