Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થાય તે માટે તામિલનાડુમાં શ્રધ્ધાળુઓએ ચંદ્ર દેવનો અભિષેક કર્યો

ઈસરોના ચંદ્રયાન- ૨ મિશન પૂજા- અર્ચના બાદ સામુહિક પ્રસાદ યોજાયો

બેંગલુરૃઃ ઈસરોએ ચંદ્ર મિશન અંતર્ગત યાન ચંદ્ર ઉપર મોકલ્યુ હતુ. લેન્ડીંગ દરમિયાન  લેન્ડર વિક્રમ સાથે છેલ્લી ક્ષણોમાં સંપર્ક તુટી ગયો હતો. ઈસરો દ્વારા સતત લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે તાલિમનાડુના તંજાવુર નજીક ચંદ્ર મંદિરમાં શ્રધ્ધાળુઓ દ્વારા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થઈ જાય તે માટે ચંદ્ર દેવને રિઝવવા અભિષેક કરવામાં આવ્યો હતો. ઉપરાંત પૂજા- અર્ચના બાદ સામુહિક પ્રસાદ પણ યોજાયેલ.

(3:34 pm IST)