Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

જીનીવામાં પાકિસ્તાન વિરૂદ્ધ પશ્તૂન સમુદાયે પોસ્ટર લગાવ્યા : નરસંહારનો ઉલ્લેખ

પાકિસ્તાનનો માનવાધિકાર વિરૂદ્ધનો અસલી ચહેરો વિશ્વ સમક્ષ ખુલો પડ્યો

નવી દિલ્હી : જીનીવામાં પાકિસ્તાન વિરૂદ્ધ પશ્તૂન સમુદાયે પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરના કારણે પાકિસ્તાનનો માનવાધિકાર વિરૂદ્ધનો અસલી ચહેરો સામે આવ્યો છે. પોસ્ટરમાં પશ્તૂન લોકો પર કરવામાં આવેલા નરસંહારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

  . આ પોસ્ટર આખા જીનીવા શહેરમાં લગાવવામાં આવ્યા છે. પશ્તૂન અને બ્લુચિસ્તાનના લોકો પાકિસ્તાન પાસે આઝાદીની માગ કરી રહ્યા છે.બ્લૂચ કાર્યકરોનો આરોપ છે કે, પાકિસ્તાનની સેના બ્લૂચિસ્તાનમાં દમન કરે છે. જેનો વિરોધ દુનિયાભરમાં કરવામાં આવી રહ્યો છે

 અત્રે ઉલ્લેખનીય છે કે  આ પોસ્ટર એવા સમયે જીનીવામાં લગાવવામાં આવ્યા જ્યારે જીનીવામાં સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા ભારતે પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે ખુલુ પાડ્યુ છે.

(12:01 pm IST)