Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ગુરુગ્રામમાં લાઉડસ્પીકરને લઈ વિવાદ વકર્યો:તંત્રએ મસ્જિદને કરી દીધી સીલ

હરિયાણા ગુરુગ્રામમાં કેટલાક હિન્દુ સંગઠનોએ લાઉડસ્પીકર દ્વારા કરવામાં આવતી અજાનને લઈ ફરિયાદ નોંધાવતા વિવાદ વકર્યો છે. હિન્દુ સંગઠનોનો આરોપ છે કે, અહીં દરરોજ હજારો લોકો આવે છે. લાઉડસ્પીકરથી થતી અજાનથી પણ લોકોને મુશ્કેલી થાય છે. વિવાદ બાદ અહીં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ તંત્રએ મસ્જિદને સીલ કરવાનો નિર્ણય કર્યો છે.

 

(8:17 pm IST)