Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ પુસ્તકનેઉર્દૂમાં પ્રકાશિત કરશે અભિનેતા ઋષિ કપૂર

મુંબઈ :ફિલ્મ અભિનેતા ઋષિ કપૂર હંમેશા કોઈને કોઈ વાત માટે ચર્ચામાં રહે છે. હાલમાં તે એક પુસ્તક માટે ચર્ચામાં છે કે જેને તે રિલીઝ કરવા જઈ રહ્યા છે. ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીનું એક પુસ્તક જેનુ નામ exam warriors તેને ઉર્દૂમાં રિલીઝ કરવાની વાત ઋષિ કપૂરે કહી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ પુસ્તક હિંદી, અંગ્રેજી, ઉડિયા, તમિલ અને મરાઠીમાં પહેલેથી જ પ્રકાશિત થઈ ચૂક્યુ છે.

(7:58 pm IST)