Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

નરાધમે ૫૦૦ યુવતિના જીવન બરબાદ કરી નાખ્યા : ૧૧ સાથીદાર ફરાર : જબરૂ મોટું રેકેટ

નોકરીની લાલચ આપી સેંકડો બાંગલા યુવતિઓને વેશ્યા બનાવી

મુંબઇ : બાંગ્લાદેશથી સગીર કન્યાઓ અને યુવતીઓને નોકરીની લાલચ આપી વેશ્યા વ્યવસાયમાં ધકેલતા બાંગ્લાદેશની વસઇ પોલીસે ધરપકડ કરતા માનવ - તસ્કરીનું મોટું તરકટ પકડાયું છે.  બાંગ્લાદેશી આરોપી મોહમ્મદ સૈદુલ મુસ્લિમ શેખની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા એકાદ વર્ષમાં તેણે ૫૦૦ કન્યાઓ અને યુવતીઓને તસ્કરીથી ભારત લાવીને વેશ્યા વ્યવસાયમાં ધકેલી હતી. આ જાણીને પોલીસ પણ ચકરાવે ચડી ગઇ હતી. આ વર્ષે પોલીસે ચાર સગીર બાળાને વેશ્યા વ્યવસાયમાંથી ઉગારી લીધી હતી. પોલીસે કહ્યું હતું કે, તેમને સારી નોકરીની લાલચ આપીને બાંગ્લાદેશથી ભારત લાવવામાં આવી હતી અને પછી દેહ વ્યવસાયમાં ધકેલવામાં આવી હતી.

(3:37 pm IST)