Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

અલાહાબાદ HCનો મહત્વપૂર્ણ આદેશ : દલિતો વિરૂધ્ધ કેસના મામલે પણ નહી થાય 'નિયમિત' ધરપકડ

કેસ આઇસીપીસીની સાથે-સાથે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કાયદા હેઠળ દાખલ થયો હતો, પરંતુ કોર્ટે પોલીસને તાત્કાલિક 'નિયમિત' ધરપકડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો

લખનઉ તા. ૧૨ અલહાબાદ હાઇકોર્ટે મંગળવારે પોલીસને કહ્યું કે તે સુપ્રીમ કોર્ટના ૨૦૧૪ના એક આદેશ દ્વારા સમર્થિત સીઆરપીસીની જોગવાઇઓનું પાલન કર્યા વિના એક દલિત મહિલા અને તેની પુત્રી પર હુમલાના આરોપી ચાર લોકોની ધરપકડ ન કરી શકે.

આ કેસ આઇસીપીસીની સાથે-સાથે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (ઉત્પીડન નિરોધક) કાયદા હેઠળ દાખલ થયો હતો, પરંતુ કોર્ટે પોલીસને તાત્કાલિક 'નિયમિત' (રૂટિન) ધરપકડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો.

હાઇકોર્ટની લખનઉ પીઠમાં ન્યાયમૂર્તિ અજય લાંબા અને ન્યાયમૂર્તિ સંજય હરકૌલીની ખંડપીઠે આ આદેશ પારિત કર્યો. વર્ષે ૨૦૧૪માં હાઇકોર્ટે અર્ણેશ કુમારના મામલે આરોપીની ધરપકડ પર દિશાનિર્દેશોનું સમર્થન કર્યું હતું.

સીઆરપીસી કલમ ૪૧ અને ૪૧-એ કહે છે કે સાત વર્ષ સુધી જેલની સજાનો સામનો કરી રહેલા કોઇ આરોપીની ત્યાં સુધી ધરપકડ ન કરવામાં આવે જયાં સુધી પોલીસ રેકોર્ડમાં તેની ધરપકડના પર્યાપ્ત કારણો સ્પષ્ટ ન કરવામાં આવે.

હાઇકોર્ટનો આદેશ પર એવું માનવામાં આવ્યું છે જયારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ (ઉત્પીડન નિરોધક) કાયદાનો દુરઉપયોગ રોકવા માટે હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલા આદેશને પલટવાની મંશાથી હાલ સંસદે આ કાયદામાં સુધારા માટે એક ખરડો પસાર કર્યો છે.(૨૧.૮)

(12:01 pm IST)