Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સંઘના વડા મોહન ભાગવત કોરોના સંદર્ભે દેશભરમાં ફરશેઃ રવિવારે ભોપાલમાં સવાદ

રાજકોટઃ આર.એસ.એસ.ના સરસંઘચાલક શ્રી મોહન ભાગવત કોરોના સંદર્ભે દેશવ્યાપી પ્રવાસ કરી સ્વયંસેવકો સાથે સંવાદ કરશે. સંઘ દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરશે. રવિવારે ભોપાલમાં સ્વયંસેવકોને મળશે.  તા.૧૬-૧૭ ઓગષ્ટે છતીસગઢની કામગીરીની સમીક્ષા કરશે. કોરોનાના કારણે સાડા પાંચ મહિનાથી થંભી ગયેલી ગતિવિધિ સંઘ ફરી શરૂ કરશે.મધ્યભારત પ્રાંત દ્વારા પ હજારથી વધુ કોરોના વોરીયર્સનું સન્માન કરાયું છે. લોકડાઉનમાં હજારો પ્રવાસી શ્રમિકોને સહાય કરવામાં આવી હતી.

(1:18 pm IST)