Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કર્ણાટકમાં યાત્રી બસમાં આગ ભભૂકી :ત્રણ બાળકો સહિત 5 લોકોનાં મોત

બીજપુરથી બેંગ્લોર આવતી બસમાં નેશનલ હાઇવે-4 પર ચિત્રદુર્ગના હીરીયુર પાસે આગ લાગી

બેંગલુરુ આવી રહેલી બસમાં અચાનક આગ લાગવાનાં કારણે પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. ચિત્રદુર્ગ જિલ્લાનાં હિરીયુર ખાતે  સવારે નેશનલ હાઇવે-4 પર લાગેલી આગમાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને કેટલાંક લોકો દાઝી પણ ગયા હતા.

   એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "નેશનલ હાઇવે-4 પર સવારે 3.00 વાગ્યે બસમાં આગ લાગતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં." બસ બીજપુરથી બેંગલુરુ આવી રહી હતી. તેમણે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ હજી થઈ નથી. આ અકસ્માતમાં બળી ગયેલા ઘણા લોકોને હિરીયુર અને ચિત્રદુર્ગની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને આશંકા વ્યક્ત કરી કે, બસ રસ્તાની બાજુમાં પાર્ક કરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો

(12:08 pm IST)