Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ગાંધી પરિવારમાં કોંગ્રેસને એક તાંતણે બાંધી રાખવાની તાકાત છે : શક્તિસિંહ ગોહિલ

ગાંધી પરિવારથી કોંગ્રેસજનોને કોઈ વાંધો નથી તો શા માટે કોંગ્રેસ અન્ય કોઈની પસંદગી કરે?

કોંગ્રેસના નેતાઓએ સોનિયા ગાંધીને ફરીવાર પાર્ટીની કમાન સોંપી છે ત્યારે કોંગ્રેસ સામે પરિવારવાદના આક્ષેપો થઇ રહ્યા છે. આ મામલે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય શક્તિસિંહ ગોહિલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

 તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ગાંધી પરિવાર એકબીજાની જરૂરીયાત છે. કોંગ્રેસના તમામ નેતાઓની ભાવના હતી કે સંગઠનને એક તાંતણે બાંધી રાખવાની તાકાત ગાંધી પરિવારમાં છે અને એટલે જ એ પરિવાર જ જવાબદારી સ્વીકારે. ગાંધી પરિવારથી કોંગ્રેસજનોને કોઈ વાંધો નથી તો શા માટે કોંગ્રેસ ગાંધી પરિવાર સિવાય અન્ય કોઈની પસંદગી કરે?

  સોનિયા ગાંધીના પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ હોબાળો મચાવ્યો હતો. BJPના આઈટી સેલ પ્રમુખ અમિત માલવિયાએ કોંગ્રેસ પર પાર્ટીમાં ચાલી રહેલા વંશવાદને લઈને 7 સેકન્ડનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો

   કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શનિવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. યૂપીએ ચેઅરપર્સન સોનિયા ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મળતી માહિતિ અનુસાર 5 ઝોનના આધારે સોનિયા ગાંધીનું નામ અધ્યક્ષ પદે નક્કી કરાયું છે. નેતાઓના કહેવા પર તેઓએ પોતે સહમતિ દર્શાવી હતી.

(9:25 pm IST)