Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

રાજસ્થાન કોંગ્રેસમાં ઘીના ઠામમાં ઘી પડશે કે પતન નિશ્ચિત ? ૪૦ MLAનો સંપર્ક નથી

૧૩ અપક્ષો ભાજપના સંપર્કમાં હોવાની વાત વચ્ચે કોંગ્રેસ હાઈકમાંડે બળવાખોરોને મનાવવા અજય માકન, રણજીત સુરજેવાલ, અવિનાશ પાંડેને જયપુર દોડાવ્યા

નવી દિલ્હી : રાજસ્થાનની અશોક ગેહલોત સરકારનું પતન નિશ્ચિત થયું ? ભાજપની કાંધે બેસી સચીન પાયલોટે ગેહલોટ સરકારને હચમચાવી દીધી છે ત્યારે ૨૦૦ વિધાનસભ્યોમાં કોંગ્રેસના ૧૦૭ ધારાસભ્યો છે જેમાંથી ૪૦ ધારાસભ્યોનો સંપર્ક થતો નથી અને ૧૩ અપક્ષો ભાજપના સંપર્કમાં હોવાની વાત વચ્ચે કોંગ્રેસ હાઈકમાંડે બળવાખોરોને મનાવવા અજય માકન, રણજીત સુરજેવાલ, અવિનાશ પાંડેને જયપુર દોડાવ્યા છે. રાત્રે ધારાસભ્યોની બેઠકમાં શુ થાય છે તેના ઉપર સૌની નજર છે. સચિન પાયલોટ શુ કરે છે તેના ઉપર આધાર છે. આજે અમિતભાઇને પણ સચિન મળી આવ્યાની ચર્ચા છે. અને કાલે ભાજપમાં જોડાઈ રહ્યાની પણ વાત છે.

(8:17 pm IST)