Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

બુકર પ્રાઇસ વિજેતા લેખકની પસંદગી કમિટીમાં ભારતીય મૂળના શ્રી જીત થાઇલને સ્થાન

લંડનઃ મે ૨૦૧૯ થી  એપ્રિલ ૨૦૨૦ દરમિયાન બ્રિટન તથા આયર્લેન્ડમાં પ્રકાશિત થનારા પુસ્તકોમાંથી આંતર રાષ્ટ્રિય બુકર પ્રાઇસ વિજેતા પુસ્તકની પસંદગી માટેની પાંચ સભ્યોની કમિટીમાં ભારતીય મૂળના લેખક શ્રી જીત થાઇલની પસંદગી કરાઇ છે.

૫૯ વર્ષીય શ્રી જીત 'નાર્કોપોલિસ'ના લેખક છે તથા સાહિત્ય એકાદમી પુરસ્કાર વિજેતા છે. તેઓ કેરળના વતની  છે તથા ૨૦૦૬ની સાલથી લેખન ક્ષેત્રે કાર્યરત છે. તેમણે ૨૩ વર્ષ સુધી પત્રકાર તરીકે પણ કામ કરેલું છે.

(8:38 pm IST)