Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

કેજરીવાલે કહ્યું માંગણી નહિ સ્વીકારાઈ ત્યાં સુધી ધારણા ચાલુ રહેશે : એલજીએ કહ્યું કેજરીવાલે વાત માનવા મને ધમકી આપી'

નવી દિલ્હી :દિલ્હીના મુખ્યમંત્રી સહીત તેના ત્રણ મંત્રી એલજીની ઓફિસ બહાર ધરણામાં બેઠા છે પોતાની માંગણી નહિ સ્વીકારાઈ ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા કેજરીવાલે ચીમકી ઉચ્ચારી છે બીજીતરફ ઉપરાજ્યપાલ કેજરીવાલ પર તેમની વાત માનવા મટે ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે કહ્યું કે અરવિંદ કેજરીવાલ અને તેમના ત્રણ મંત્રી કારણ વગર ધરણા પર બેઠા છે.

 એલજીની ઓફિસ બહાર કેજરીવાલની સાથે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ગોપાલ રાય પણ ધરણા પર બેસી ગયા છે. કેજરીવાલે ઉપરાજ્યપાલ પાસે માંગ કરી હતી કે દિલ્હીમાં હડતાળ પર ગયેલા આઇએએસ અધિકારીઓને કામ પર પરત ફરવાનાં નિર્દેશ આપવામાં આવે, ચાર મહિનાથી કામકાજ રોકનાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને રેશનની  ડોરસ્ટેપ ડિલિવરીની યોજનાને મંજુરી મળે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે જ્યાં સુધી ઉપરાજ્યપાલ માંગણીઓ નહી સ્વિકારે ત્યાં સુધી હું ધરણાનો અંત નહીં લાવું. સામા પક્ષે એલજીએ કેજરીવાલ પર તેમની વાત માનવા માટે ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે.

  કેજરીવાલે એલજી કાર્યાલયના વેઇટિંગ રૂમમાં સોમવારે સાંજે 6 વાગ્યે ટ્વીટ કરી છે કે અનિલ બૈજલને માંગનો પત્ર સોંપી દેવાયો છે પણ તેમણે કોઈ કાર્યવાહી કરવાનો ઇન્કાર કરી દીધો છે.  

   એલજી કાર્યાલયે ટ્વીટ કર્યું છે કે કારણ વગર ધરણાં નકામું પ્રદર્શન છે. એલજી કાર્યાલયે એક જણાવ્યું છે કે એક મુલાકાતમાં સીએમએ પોતાની ડિમાન્ડ માની લેવા માટે એલજીને ધમકી આપી છે. 

  આ પહેલાં કેજરીવાલે આરોપ લગાવયો હતો કે વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રએ આપ સરકારના કામકાજને રોકવા માટે એલજી, આઇએએસ અધિકારીઓ, સીબીઆઇ, ઇડી, ઇન્કમટેક્સ વિભાગ અને દિલ્હી પોલીસને ખુલ્લી છુટ આપી છે.

(12:04 pm IST)