Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

બ્રિટનને કોવીશીલ્ડના પ૦ લાખ ડોઝ આપવા ભારતનો ઇન્કાર

સીરમ ઇન્સ્ટીટયુટના આગ્રહને નકારતી કેન્દ્ર સરકાર

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય દબાણ અને અનેક સ્તરની વાતચિત બાદ પણ ભારત સરકારે સીરમ ઇન્સ્ટીટયુટનાએ આગ્રહને નકારી દીધેલ. જેમાં તેને બ્રિટનને કોવીશીલ્ડ વેકસીનના પ૦ લાખ ડોઝ નિકાસ કરવાની મંજુરી માંગેલ.

સીરમ ઇન્સ્ટીટયુટે જણાવેલ કે બ્રિટનને પ૦ લાખ ડોઝ આપવાનું પહેલેથી જ નકકી થયેલ. કેન્દ્ર કહેલ કે તેમની પ્રાથમિકતા દેશના લોકોની રક્ષા કરવાની છે.

કેન્દ્ર સરકારે જણાવેલ કે રાજય સરકાર અને ખાનગી હોસ્પીટલ સીધા જ કંપની પાસેથી વેકસીન ખરીદી શકે છે. ૧૮ થી ૪૪ વર્ષના લોકોનું રસીકરણ શરૂ થતા સીરમ ઇન્સ્ટીટયુટ ઉપર રાજયોનું દબાણ વધ્યુ છે. હાલ કોવીશીલ્ડના પ૦ લાખ ડોઝ ઉપલબ્ધ કરાવાયા છે.

(3:12 pm IST)