Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સમયસર રસીનો બીજો ડોઝ ના લેવામાં આવે તો પહેલો ડોઝ નકામો થઈ જાય? શું ફરી નવેસરથી ડોઝ લેવા પડે?

કોરોનાની રસી લીધા પછી કોઈ કારણે બીજો ડોઝ લેવામાં લાંબો સમય થઈ જાય તો શું થાય? બધું નવેસરથી શરૂ કરવાની જરૂર છે? જાતે કોઈ નિર્ણય લેતા પહેલા એકસપર્ટની વાત માનજો

નવી દિલ્હી, તા.૧૨: જો કોઈ કારણે કોરોનાની રસીનો બીજો ડોઝ નિશ્યિત સમય પર ના લઈ શકાય તો બીજો ડોઝ પહેલો ડોઝ જ માનવામાં આવશે? એટલે શું કોરોનાથી સુરક્ષિત રહેવા માટે ત્રણ ડોઝ લેવા પડશે? વેકસીનને લઈને દ્યણાં લોકોના મગજમાં અલગ-અલગ સવાલો થઈ રહ્યા છે. જોકે, કોઈ કારણોસર બીજો ડોઝ સમયસર ના લઈ શકયા હોય તો તેમને એકસપર્ટ શિડ્યુલમાં કોઈ ફેરફાર નહીં કરવાની સલાહ આપી રહ્યા છે. એ વાતનું ધ્યાન રહે કે હાલ કોરોનાની પહેલી ડોઝ લીધાના ૪ થી ૬ અઠવાડિયા પછી બીજો ડોઝ લેવા અંગે જણાવવામાં આવી રહ્યું છે.

દેશમાં હાલ કોવિશીલ્ડ અને કોવેકસીન જ લગાવવામાં આવી રહી છે, અને નિયમ પ્રમાણે જે રસીનો પહેલો ડોઝ લીધો હોય તેનો જ બીજો ડોઝ લેવો જોઈએ. એકસપર્ટનું માનવું છે કે જો તમે આ બેમાંથી કોઈ વેકસીન લીધી હોય તો તેના ૪ થી ૬ અઠવાડિયા કરતા વધારે સમય પસાર થઈ ગયો હોય પરંતુ બીજો ડોઝ કોઈ કારણોસર ના લઈ શકયા હોય તો એવું ના વિચારશો કે પહેલો ડોઝ નકામો ગયો છે. એકસપર્ટનું કહેવું છે કે બીજો ડોઝ લેવામાં મોડું થાય એનો મતલબ એ નથી કે હવે વેકસીન માટે ફરી શિડ્યુલ કરવું પડશે. તેઓ કહે છે કે વેકસીન લીધાના ૬ અઠવાડિયા પછી બીજો ડોઝ ના લઈ શકો તો તો પણ તમારે એક જ વાર રસી લેવાની છે.

રસીકરણ પછી વિપરિત પરિસ્થિતિ સર્જાય તો તેના પર નજર રાખવા માટેની રાષ્ટ્રીય સમિતિના સભ્ય ડો. એનકે અરોરા કહે છે કે જો બીજો ડોઝ લેવામાં મોડું થાય તો ચિંતાની કોઈ વાત નથી. તેમણે કહ્યું, અમને ખબર છે કે દ્યણાં લોકો બીજો ડોઝ સમય પર લઈ શકતા નથી. તેમણે ચિંતા કરવાની જરુર નથી. જો પહેલા ડોઝ પછી ૬ અઠવાડિયાની જગ્યાએ ૮ થી ૧૦ અઠવાડિયા થઈ જાય તો પણ બીજો ડોઝ સફળ રહે છે. કોઈએ પણ મોડું થવા પર ફરીથી નવેસરથી વેકસીન ના લગાવડાવવી જોઈએ.

બીજો ડોઝ શા માટે, એ સમજો

પુણે સ્થિતિ ભારતીય વૈજ્ઞાનિક શિક્ષા અને શોધ સંસ્થાન (IISER)ના ડો. વિનીતા બલ કહે છે કે ઙ્કવેકસીનનો પહેલો ડોઝ લેતા જ કોરોના વાયરસ સામે ઈમ્યુનિટી તૈયાર થવા લાગે છે, જે બીજો ડોઝ લેવામાં મોડું થાય તો ખતમ નથી થઈ જતી. થાય છે એવું કે તમે જયાં સુધી બીજો ડોઝ નથી લેતા ત્યાં સુધી તમારામાં ભરપૂર ઈમ્યુનિટી પેદા થાય છે અને કવોન્ટિટી વધી જાય છે. તેમણે કહ્યું કે પહેલી ડોઝની અસર તો શરીરમાં બનેલી જ રહે છે, પરંતુ તેની ઉંમર અડધી થઈ જાય છે. વેકસીનથી જે એન્ટિબોડી તૈયાર થાય છે તે મૂળતઃ પ્રોટીન હોય છે, જે સમયની સાથે-સાથે ઘટે છે, ભલે તેનો ઉપયોગ થાય કે ના થાય.

ડો. વિનીતા બળ આગળ જણાવે છે કે, પહેલા ડોઝથી જે ઈમ્યુનિટી પેદા થઈ છે, તે સંભવતઃ ચારથી ૫ મહિના પછી ઘટવાનું શરુ થશે. કોવિશીલ્ડ વેકસીનના બે ડોઝ વચ્ચેનું અંતર ૪દ્મક વધારીને ૧૨ અઠવાડિયા કરાયું છે. તેમણે કહ્યું, કોવીશિલ્ડ પર આંતરાષ્ટ્રીય સ્તર પર ટ્રાયલ થયું અને ૧૨ અઠવાડિયા બાદ બીજો ડોઝ આપવા પર તે વધારે સફળ સાબિત થઈ છે. વેલ્લૌર સ્થિતિ સીએમસીમાં માઈક્રોબાયોલોજીના પ્રોફેસર ગગનદીપ કાંગ કહે છે કે જો કોઈ વ્યકિત વેકસીનનો પહેલો ડોઝ લીધા પછી સંક્રમિત થાય છે તો ૬ થી ૧૦ અઠવાડિયામાં તેની રિકવરી થઈ જાય છે, ત્યારે પણ બીજો ડોઝ લઈ લેવો જોઈએ.

કોવેકસીનને લઈને એકસપર્ટ શું કહે છે?

જયાં સુધી વાત ભારતીય કોરોનાની રસી કોવેકસીનની વાત છે તો તેના પર આવી કોઈ ટ્રાયલ નથી થઈ. ડો. વિનીતા બલ કહે છે કે, કોવેકસીન બનાવનાર (ICMR અને ભારત બાયોટેક)એ પહેલો ડોઝ લીધાના ચાર અઠવાડિયા પછી તેના પ્રભાવનું આકલન કર્યું હતું. પછી એ પરિણામ પર પહોંચ્યા કે ૨૮ દિવસ પછી બીજો ડોઝ લગાવી લેવો જોઈએ. સૈદ્ઘાંતિક રીતે પહેલા ડોઝની અસર પાંચમા અઠવાડિયા સુધી પણ યથાવત રહે. અમારી પાસે આ રસી અંગે કોઈ ડેટા નથી, માટે કોઈ વાત દાવા સાથે કહી શકાય તેમ નથી.

ગુજરાત સરકારના કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડો. નવીન ઠાકર કહે છે કે, રસી ભલે કોઈ પણ હોય, મોટાભાગના કિસ્સામાં થોડું લાંબું અંતર રાખવું યોગ્ય છે. તેમણે કહ્યું, જયાં સુધી વાત કોવેકસીનની છે તો અત્યાર સુધીના આકલન કહે છે કે ઓછામાં ઓછા ૪ અઠવાડિયાનું અંતર રહેવું જોઈએ. પરંતું વધારે અંતર રહેવાથી વેકસીન વધારે ફાયદાકારણ બની શકે છે. કંઈ પણ હોય, એ જરુરી છે કે મોડું થઈ જાય તો પણ બીજો ડોઝ જરુર લેવો જોઈએ.

ધ્યાન રહે કે, યુકેમાં કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે ૧૨ અઠવાડિયાનું અંતર અને કેનેડામાં ૧૬ અઠવાડિયાનું અંતર રાખવાની ભલામણ કરવામાં આવી છે.

(3:08 pm IST)