Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

છત્તીસગઢના જંગલોમાં નકસલવાદીઓની મીટિંગ પછી ૪૦૦ માઓવાદીઓને કોરોના વળગ્યો: અત્યાર સુધીમાં ૧૦ના મોત થઇ ચુક્યા છે

ટીવી અહેવાલો મુજબ દંડકારણ્યના સુકમા અને બિજાપુરના જંગલોમાં નક્સલીઓની મોટી બેઠક મળી હતી જેમાં ૫૦૦ નકસલીઓએ ભાગ લીધો હતો. આ પછી કોરોના ફેલાઈ જતા ૪૦૦ કોરોના ગ્રસ્ત થયા છે. અહીં બે લાખથી વધુ આદિવાસી રહે છે. છત્તીસગઢમાં છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૧૨ હજાર નવા કોરોના કેસ બહાર આવ્યા છે, ૧૭૨ના મોત થયા છે.

(9:25 am IST)