Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ભારતીયો કરતા જાનવરો સારાઃ ગાયિકા મોનાલી ઠાકુરનું ચસ્કી ગ્યુ

વિદેશીઓ ભારતને પસંદ કરતા નથીઃ હું ભારતીય હોવાની શરમ અનુભવું છેઃ 'દમ લગા કે હૈશા'ની ગાયિકાનો બેફામ ઇન્ટરવ્યુ

નવી દિલ્હી તા. ૧ર :.. બે-ચાર ગીતો લોકપ્રિય થાય અને ફેનના ટોળા પાછળ ફરવા લાગે ત્યારે ફિલ્મી જીવાત હવામાં ઉડવા લાગે છે આવી જ એક ગાયિકા આજે બેફામ બની છે. સિંગર મોનાલી ઠાકુરે એક ઇન્ટરવ્યૂમાં બેફામ નિવેદનો કરીને કહ્યું છે કે, ભારતના લોકો કરતા મને જાનવરો સારા દેખાય છે.

'ફિલ્મી યારા' વેબ ન્યુઝના અહેવાલ પ્રમાણે મોનાલીએ કહ્યું છે કે, આપણે ત્યાં લોકો જાનવરોથી પણ બદતર છે. અન્ય દેશોના લોકો ભારતમાં રહેવાનું પસંદ નથી કરતા, જાનવરો સાથે માણસ રહી ન શકે.

મોનાલીએ જણાવ્યું હતું કે, ભારતમાં પ્રાકૃતિક ખુબસુરતી છે, વૈવિધ્ય છે, પણ લોકો જંગલી જેવા છે. જંગલી પણુ જાનવરોનો સ્વભાવ હોય છે, ભારતીયો જાનવરોથી પણ બદતર છે. મને ભારતીય હોવાની શરમ અનુભવાય છે.

'દમ લગા કે હઇશા', 'મોહ મોહ કે' ધાગે જેવા ગીતોથી મોનાલી લોકપ્રિય બની છે, પરંતુ તાજેતરના ઇન્ટરવ્યુથી ચર્ચામાં આવી છે. મોનાલીએ ભારતીયોને  જાનવર ગણાવ્યા છે, જેમાં તેના ફેન અને પરિવારનો સમાવેશ આપોઆપ થઇ જાય છે.

(11:37 am IST)