Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

રદ કરાયેલ પ૦૦- ૧૦૦૦ ની જૂની નોટો અમારી બેન્કો-લોકોને બદલી આપોઃ નેપાળની માંગણી

નેપાળના વડાપ્રધાને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ સમક્ષ તાકીદે નિવેડો લાવવા રજૂઆતો કરી

કાઠમંડૂ તા. ૧ર :.. નેપાળના વડાપ્રધાન શ્રી કે. પી. શર્માએ ગઇકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આગ્રહ ભરી વિનંતી કરી હતી કે અમારી બેન્કો અને લોકોને ભારતમાં રદ કરાયેલ પ૦૦-૧૦૦૦ ની જૂની નોટો બદલવાની ઝડપથી સુવિધા અપાયે નેપાળમાં ભારતીય ચલણની દરરોજ મોટાપાયે લેણ દેણ થાય છે.

નેપાળની રાષ્ટ્રીય બેન્ક અનુસાર લગભગ ૩.૩૬ કરોડ ભારતીય રૂપિયા હાલ નેપાળ બેંકીંગ પ્રણાલીમાં છે.

ગઇકાલે બંને વડાપ્રધાનો દ્વારા પૂર્વ નેપાળમાં ૯૦૦ મેગાવોટની ક્ષમતાવાળા વીજ ઉત્પાદન યુનિટનું ખાતમૂર્હૂત રીમોટ દ્વારા કર્યુ હતું.

(11:35 am IST)