Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

ચુંટણી પંચનું નામ એમસીસી રાખી દો : મમતા બેનર્જી

કોલકતા : પ. બંગાળમાં વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં  મતદાન દરમિયાન કૂચબિહાર વિસ્તારમાં લોકોના મોતને લઇને રાજકીય ધમસાણ મચ્યુ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પંચ ઉપર સીધુ નિશાન તાકતા જણાવેલ કે આયોગનું નામ બદલી એમ.સી.સી. એટલે કે મોદી કોડ ઓફ કંડકટ રાખવું જોઇએ. તેમનું આ નિવેદન ચુંટણી પંચના એ આદેશ બાદ આવ્યુ જેમાં ૭ર કલાક સુધી કોઇપણ નેતાને કૂચ બિહાર જવા ઉપર રોક લગાડેલ.

(3:12 pm IST)