Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સરહદ ઉપરના ગામડાઓમાં પાકિસ્તાનનો અંધાધુંધ ગોળીબાર

શ્રીનગરઃએલઓસી નજીકના ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવીને પાકિસ્તાની સૈન્યએ ફાઈરિંગ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં પાકિસ્તાનના નાપાક સૈન્યએ ભારતીય સૈન્યની પોસ્ટને ટાર્ગેટ કરીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈન્યએ પણ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના સૈન્યએ ભારતીય ફોર્વર્ડ પોસ્ટને નિશાન બનાવવાની સાથે સાથે નાપાક ઈરાદાથી ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને પણ નિશાન બનાવ્યા હતા. નજીકના ગામડાંઓને ટાર્ગેટ કરીને પાક્. સૈન્યએ ફાઈરિંગ કર્યું એટલે ગ્રામ્ય વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ સૈન્યએ હાથ ધરી હતી.

(3:14 pm IST)