Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

'' અક્ષયપાત્ર '' ભારતના જરૃરિયાતમંદ બાળકોને મધ્યાહન ભોજન પુરૃ પાડતી નોનપ્રોફીટ સંસ્થા : ર૦૦૦ ની સાલથી શરૃ કરાયેલી યોજના અંતર્ગત આજ ૩ અબજમી થાળી વૃંદાવનમા વડાપ્રધાન શ્રી મોદીના હસ્તે પીરસાઇ

વૃંદાવનઃ  ર૦૦ં૦ ની સાલથી ભારતના જરુરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ભોજન પૂરૃ પાડી નોનપ્રોફીટ સંસ્થા અક્ષયપાત્રના નેજા હેઠળ અત્યાર સુધીમાં ર અબજ ૯૯ કરોડ બાળકોને ભોજન પીરસાઇ ગયું છે. તે અંતર્ગત આજ   ૧ ૧ ફેબ્રુઆરી ર૦૧૯ ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૩ કરોડમી થાળી વૃંદાવનમાં પીરસા।ઇ હતી

ઉલ્લેખનીય છે કે બેંગ્લોરથી શરૃ કરાયેલી આ યોજનાને વિશ્વભરમાંથી પ્રતિસાદ મળે છે. અમેરિકામાં વસતા ભારતીયો પણ અક્ષયપાત્ર માટે ડોનેશન મોકલતા રહે છે.

(9:02 pm IST)