Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

સરકારે મુસ્લિમોને પણ નાગરિકત્વ આપ્યું છે : અમિતભાઇ શાહ

CAB માં ઉલ્લેખ નથી છતાં મુસ્લિમોને નાગરિકત્વ આપવાનો માર્ગ બંધ કરાશે નહીં : બિલ ધાર્મિક હોવાની વાત પર વિપક્ષ પર નિશાન સાધ્યું

 

નવી દિલ્હી : નાગરિકતા સુધારણા બિલ ધાર્મિક ધોરણે હોવાને કારણે વિપક્ષ કેન્દ્ર સરકારને નિશાન બનાવી રહ્યા છે. અહમદીયા મુસ્લિમોને નાગરિકત્વ આપવાના સવાલ પર ગૃહમંત્રી અમિતભાઇ શાહે રાજ્યસભામાં કહ્યું કે સરકારે મુસ્લિમોને પણ નાગરિકત્વ આપ્યું છે.નાગરિકતા સુધારણા બિલ ધાર્મિક ધોરણે હોવાને કારણે વિપક્ષ કેન્દ્ર સરકારને નિશાન બનાવી રહ્યા છે.

   અહમદીયા મુસ્લિમોને નાગરિકત્વ આપવાના સવાલ પર અમિતભાઈ  શાહે રાજ્યસભામાં કહ્યું કે સરકારે મુસ્લિમોને પણ નાગરિકત્વ આપ્યું છે. અગાઉ એક પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રાલયે જવાબ આપ્યો હતો કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન 566 મુસ્લિમોને નાગરિકત્વ આપવામાં આવ્યું છે.

 

(9:43 pm IST)