Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

કમલનાથે પોતાના કિલ્લામાં ન ખીલવા દીધું એકપણ 'કમળ' : કોંગ્રેસનો લહેરાવ્યો પરચમ

છીંદવાડામાં ગત ચૂંટણીમાં ભાજપે ચાર સીટ હાંસલ કરેલી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામની સાથે જ છિંદવાડા પણ ચર્ચામાં આવ્યું છે મધ્યપ્રદેશ ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્ય પ્રભારી કમલનાથનો આ સંસદીય મતવિસ્તાર છે.અહીં વિધાનસભાની કુલ 7 સીટ છે. સાતમાંથી 6 સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે.એક સીટ પર ગોંડવાના ગણતંત્ર પાર્ટીનો ઉમેદવાર આગળ છે. આ રીતે કમલનાથે પોતાના ગઢમાં ભાજપનું એક પણ 'કમળ' ખીલવા દીધું નથી. 

 

   ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અહીં 4 સીટ જીતી હતી, જ્યારે 3 કોંગ્રેસે જીતી હતી. આ સીટના નામ છે- જુન્નારદેવ, અમરવારા, ચુરાઈ, સોંસર, છિંદવાડા, પરાસિયા, પંધુરના. છિંદવાડાની ઓળખ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ સાથે થાય છે. અહીં તેમના વિકાસ મોડેલની ખૂબ જ ચર્ચા થાય છે.

 

(10:18 pm IST)