Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઈશારે હિંદુઓનું અપમાન : ભાજપ

સલમાન ખરશીદના પુસ્તક પર રાજકીય ધમાસણ જારી : કોંગ્રેસે હિન્દુ મુસ્લિમની રાજનીતી કરી, બહુમતીની લાગણીઓને કચડવાનુ કામ કરાઈ રહ્યંુ છે : ભાજપ

નવી દિલ્હી, તા.૧૧ : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદે પોતાના પુસ્તક સનરાઈઝ ઓવર અયોધ્યા...માં હિન્દુત્વની તુલના બોકો હરામ અને આએસઆઈએસ જેવા સંગઠનો સાથે કર્યા બાદ ભાજપે કોંગ્રેસને આરોપીના કઠેડામાં ઉભી કરી છે.

ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યુ હતુ કે, કોંગ્રેસ સરકારે આઝાદી પછી હિન્દુ મુસ્લિમની રાજનીતી કરી છે.સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઈશારે હિન્દુઓનુ અપમાન કરવામાં આવી રહ્યુ છે.બહુમતીની લાગણીઓને કચડવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે.હિન્દુ સમાજ સહિષ્ણુ છે તેનો અર્થ નથી કે રાજકીય પાર્ટીઓ હિન્દુ સમાજની ભાવનાઓને ઠોકર મારે.પાંચ રાજ્યોમાં વિપક્ષના સૂપડા સાફ થવાના છે ત્યારે કોંગ્રેસ ભાગલા પાડોની નીતિ અપનાવી રહી છે.

તેમણે કહ્યુ હતુ કે, જો કોંગ્રેસ સલમાન ખુરશીદના વિચારો સાથે સમંત ના હોય તો પાર્ટીના ટોચના નેતાઓએ  બાબતે પોતાનુ મૌન તોડવુ પડશે.સોનિયા ગાંધીએ નિવેદન આપવુ જોઈએ. પહેલા પણ કોંગ્રેસે તો ભગવાન રામ કાલ્પનિક હોવાનુ પણ કહેલુ છે.શશી થરુર હિન્દુ તાલિબાન શબ્દ પણ વાપરી ચુકયા છે.

(7:19 pm IST)