Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના ૫૦ કિ.મી.ના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સામે કાર્યવાહીઃ ૯ સૈનિકો શહિદ થયાઃ અનેક આતંકવાદીઓને ઠાર મરાયા

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ, તા. ૧૧ :. જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના ૫૦ કિ.મી.ના જંગલમાં છેલ્લા ૩૦ દિવસથી આતંકવાદીઓને ઝડપી લેવા અને ઠાર મારવા માટે ઓપરેશન ચાલુ છે. જેમાં અનેક આતંકવાદીઓને ઠાર મરાયા છે, જ્યારે ૯ સૈનિકો શહિદ થયા છે. ૨૬ લોકોને આતંકવાદીઓ સાથે કામગીરી કરવાના ગુન્હામાં ઝડપી લેવામાં આવ્યા છે. આતંકવાદીઓને વિવિધ ગતિવિધિઓની જાણ સ્થાનિક લોકો દ્વારા આપવામાં આવી રહી છે. ઘણા આતંકવાદીઓ નેપાળ, સાઉદી અરબ કે પાકિસ્તાન પહોચવાની ફીરાકમાં છે પરંતુ અમુક આતંકવાદીઓને પોલીસે એરપોર્ટ ઉપરથી ઝડપી લીધા હતા.

(4:36 pm IST)