Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

આલીયા ભટ્ટ-રણબીર કપૂર આ વર્ષના અંતમાં નહી પરંતુ આવતા વર્ષે એપ્રિલ –ર૦રરમાં લગ્‍ન કરશે

 

મુંબઇ :  રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, તે ફેન્સ દુખી થઈ શકે છે જેઓ આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા ઘણા મહિનાઓથી લગ્નને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વર્ષના અંતમાં બંને સાત ફેરાના બંધનમાં બંધાઈ જશે. પરંતુ હવે આ કપલ આ વર્ષે નહીં પરંતુ આવતા વર્ષે એપ્રિલ 2022માં લગ્ન કરશે.

રણબીર-આલિયા એપ્રિલ 2022માં લગ્ન કરશે

પાપરાઝી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે જણાવ્યું કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન આવતા વર્ષે એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે. તે જ સમયે, કેટલાક અહેવાલો અનુસાર રણબીર અને આલિયાએ તેમના કામના પ્રતિબદ્ધતાને કારણે આવો નિર્ણય લીધો છે. એક વેબસાઈટનો દાવો છે કે હવે આ કપલ એપ્રિલમાં લગ્ન કરશે.

જોકે આ કપલ એકબીજા પર ખુબ જ પ્રેમ વરસાવે છે. સમય મળતાં જ બંને હંમેશા એકબીજા સાથે સમય પસાર કરવા બહાર નીકળી જાય છે. દિવાળી પર પણ બંને સાથે હતા અને બાંદ્રામાં બની રહેલા રણબીરના ઘરની દેખરેખ આલિયા પોતે કરી રહી છે.

બંને પોતાની આવનારી ફિલ્મોનું શુટિંગ પૂર્ણ કર્યા બાદ લગ્ન કરશે. તેમજ તેમનું ઘર બનવામાં પણ થોડો સમય બાકી છે. જેના કારણે આ કપલે લગ્ન હાલ જ મુલતવી રાખ્યા છે. આ સમાચાર બાદ તેના ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સે બંનેને ટ્રોલ પણ કર્યા છે.

લોકોનું કહેવું છે કે બંનેના લગ્ન નહીં થાય, તેઓ માત્ર સમાચારોથી જ ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં પણ એવા સમાચાર આવ્યા હતા કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે પરંતુ પછી કોરોનાને અને પછી લોકડાઉન કારણે બંનેએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. હવે એવા સમાચાર હતા કે ડિસેમ્બરમાં આ જોડી સાત ફેરા લેશે, પરંતુ હવે તેમના લગ્ન ફરી મુલતવી રાખવામાં આવ્યા છે.આ તેમના ચાહકો માટે સ્વાભાવિક રીતે જ ખરાબ સમાચાર છે.

તાજેતરમાં, દિવાળીના અવસર પર આલિયા અને રણબીર તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર અયાન મુખર્જી સાથે મુંબઈના કાલી પૂજા પંડાલમાં જોવા મળ્યા હતા. બંને ભારતીય અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

ટૂંક સમયમાં જ બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવા જઈ રહ્યા છે. રણબીર કપૂર બૈજુ બાવરા’ ‘શમશેરાઅને અંદાઝ અપના અપના 2’ માં જોવા મળશે. બીજી તરફ આલિયાની ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘RRR’, ‘ડાર્લિંગઅને રોકી ઔર રાની કી પ્રેમ કહાની’  આવતા વર્ષે રિલીઝ થવાની છે. આલિયા હાલમાં રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના શૂટિંગમાં વ્યસ્ત છે.

(11:15 pm IST)