Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કોરોનાએ રાજકોટ શહેર- જીલ્લામાં આજે ૫ના જીવ લીધા

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી ૬ મોત પૈકી એક મૃત્યુની નોંધ : શહેર - જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૨૧૭૧ બેડ ખાલી

રાજકોટ, તા. ૧૧:  કોરોનાથી  છેલ્લા ૨૪ કલાકમાં  રાજકોટ શહેર અને જીલ્લામાં આજે  ૫ના મોત થયા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ  રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી એક મૃત્ય થયાનું જાહેર કર્યુ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૦નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૧ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૫ દર્દીઓએ દમ તોડી દીધા હતો.

તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૫નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૬ પૈકી એક   મૃત્યુ થયુ છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૧૭૧ બેડ ખાલી છે. શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

(11:12 am IST)