Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

પાકિસ્તાનમાં સેનાના વાહન પર હુમલો : પાંચ લોકોના મોત: અનેક લોકો ઘાયલ

ઈસ્લામાબાદ:પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બંદૂકધારીઓએ સેનાના  વાહન પર હુમલો કર્યો હતો જેમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે  જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે

 પોલીસના પ્રવક્તા કલીમ કુરેશી મુજબ  મૃતકોમાં બે પોલીસ અધિકારી, ખાનગી સેવાના બે અધિકારી તથા એક જાણકાર સામેલ છે. રાજનપુર જિલ્લાના અરબી તબ્બા વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણા પર દરોડા પાડવા જઈ રહ્યા હતા ત્યારે રવિવારે મોડી રાતે તેમની પર હુમલો થયો. હતો અત્યારે કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી પરંતુ આ વિસ્તાર દક્ષિણ પશ્ચિમી બલુચિસ્તાન પ્રાંતની સરહદનો લાગે છે જ્યાં બલૂચ અલગાવવાદી સમૂહ હિંસક ઘટનાઓને અંજામ આપતા રહ્યા છે.

(2:17 pm IST)