Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મહારાષ્ટ્રમાં ગમે તે પક્ષની સરકાર રચાય પણ લાંબુ ટકશે નહીં :નવેસરથી ચૂંટણી યોજવી જ પડશે : સંજય નિરૂપમની આગાહી

મુંબઈ : પૂર્વ શિવસૈનિક અને હાલ કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભલે ગમે તે પક્ષની સરકાર રચાય પરંતુ એ લાંબો સમય ટકશે નહીં. અંતે તો નવી ચૂંટણી જ યોજવી પડશે.

 તાજેતરની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બની રહ્યો હતો પરંતુ એના સાથી પક્ષ શિવસેનાએ પોતાને જ મુખ્ય પ્રધાનપદ આપવાની જીદ પકડતાં ભાજપે સરકાર રચવાનો નિર્ણય પડતો મૂક્યો હતો. એટલે ગવર્નરે શિવસેનાને સરકાર રચવા બોલાવી હતી. શિવસેના શરદ પવારના એનસીપી સાથે સરકાર રચવા થનગની રહી છે.

   અગાઉ શિવસેનામાં રહી ચૂકેલા અને હાલ કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે એવી આગાહી કરી હતી કે ગમે તે પક્ષ મહારાષ્ટ્રમાં સરકાર રચે, આ સરકાર લાંબો સમય ટકશે નહીં. નવેસર ચૂંટણી જ કરવી પડશે.

(1:37 pm IST)