Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ભાજપને મહારાષ્ટ્રમાં વિપક્ષમાં બેસવું છે પરંતુ લોકસભાની ચૂંટણી વેળાની સમજૂતીનો અમલ કરવો નથી: સંજય રાઉત

આજની પરિસ્થિતિ માટે શિવસેના જવાબદાર નથી, ભાજપ પોતે જવાબદાર છે'

મુંબઈ : શિવસેનાના સાંસદ સંજય રાઉતે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષમાં બેસવું છે પરંતુ લોકસભાની ચૂંટણી વખતે અમારા સાથે કરેલી સમજૂતીનો અમલ કરવો નથી. 'લોકસભાની ચૂંટણી વખતે ભાજપે અમારી સાથે 50-50ની સમજૂતી કરી હતી. હવે એ વાયદો નિભાવવાનો આવ્યો ત્યારે ભાજપ પીછેઙઠ કરે છે

 . વિધાનભામાં વિરોધ પક્ષ તરીકે બેસવા ભાજપ તૈયાર છે પરંતુ અમને આપેલો વાયદો નિભાવવા તૈયાર નથી. આજની પરિસ્થિતિ માટે શિવસેના જવાબદાર નથી, ભાજપ પોતે જવાબદાર છે' એમ રાઉતે કહ્યું હતું.

(1:13 pm IST)