Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

તેલંગાણામાં કાચેગુડા રેલવે સ્ટેશને બે ટ્રેન વચ્ચે ટક્કર: 30 યાત્રીઓ ઘાયલ: કેટલાકને ગંભીર ઇજા

ટ્રેનની ટક્કર બાદ કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

હૈદરાબાદઃ તેલંગાણામાં સોમવારે બે ટ્રેન ટકરાતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે કચેગુડા રેલવે સ્ટેશન પર બે . ટ્રેનની ટક્કર બાદ અફરા તફરીનો માહોલ મચ્યો છે.કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

  દક્ષિણ મધ્ય રેલવેના અધિકરીઓ મુજબ એક એમએમટીએસ ટ્રેન હતી જ્યારે બીજી ઈન્ટરસિટી એક્સપ્રેસ હતી. ટ્રેનની ટક્કર બાદ કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દરમિયાન કેટલાય યાત્રીઓને ગંભીર ઈજા પહોંચી છે. ઘાયલોની વાસ્તવિક સંખ્યા વિશે જાણી શકાયું નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘટનાને પગલે ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસ તથા અન્ય રેલવે કર્મચારીઓ ઘાયલોને પ્રાથમિક ઈલાજ આપ્યા બાદ હોસ્પિટલે મોકલી રહ્યા છે.

(12:48 pm IST)