Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

જમ્મુ-કાશ્મીરઃ એન્કાઉન્ટરમાં બે ત્રાસવાદી ઠાર

બાંદીપોરા જિલ્લાની ઘટનાઃ સામસામુ ફાયરીંગ હજુ ચાલુ

શ્રીનગર, તા. ૧૧ :. ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં રવિવારે સાંજે શરૂ થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. હજુ કેટલાક ત્રાસવાદીઓને ઘેરવામાં આવ્યા છે. હાલ ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ છે. માર્યા ગયેલા ત્રાસવાદીઓની ઓળખ થઈ નથી.

આ જિલ્લામાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરક્ષા દળોએ ગામને ઘેરાબંધી કરી હતી. ઘેરો વધુ ઘેરો બનતા જોઈ એક મકાનમાં છુપાયેલા ત્રાસવાદીઓએ સુરક્ષા દળો ઉપર ફાયરીંગ શરૂ કર્યુ હતું.

અચાનક શરૂ થયેલા ફાયરીંગ પર સુરક્ષા દળોએ પહેલા ત્રાસવાદીઓને શરણે આવવા કહ્યુ હતું તે પછી પણ ફાયરીંગ નહિ અટકતા વળતી કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે એક ત્રાસવાદીને ઠાર કરાયો હતો. જ્યારે બીજાને આજે ઠાર કરવામાં આવ્યો હતો. હજુ કેટલાક ત્રાસવાદીઓ છુપાયા હોવાનું જણાય છે.

(11:26 am IST)