Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

મહારાષ્ટ્ર સજ્જડ બંધ : મુંબઇનું જનજીવન ખોરવાયું

ઉત્તરપ્રદેશના ખેડૂતોના સમર્થનમાં અને લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યાના વિરોધમાં શિવસેના - કોંગ્રેસ - એનસીપીએ આપ્યું છે બંધનું એલાન : મુંબઇમાં બજારો - દુકાનો - બેસ્ટની બસો બંધ : આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર અટકી : હોટલો - રેસ્ટોરન્ટ પણ બંધ : રાજ્યમાં કડક સુરક્ષા વ્યવસ્થા

મુંબઇ તા. ૧૧ : ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા વિરોધમાં મહારાષ્ટ્ર સરકારેઙ્ગઆજે રાજવ્યાપીઙ્ગબંધનું આહવાન કર્યું છે. એનસીપી, કોંગ્રેસ, અને શિવસેનાના સત્તારૂઢ ગઢબંધન મહાવિકાસ અઘાડીએ કહ્યું કે રાજયવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે તેનું કારણ છે કે રાજય દેશના ખેડૂતોની સાથે છે. બીજી બાજુ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેનો પક્ષ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા વિરોધમાં  મહારાષ્ટ્ર બંધમાં પુરી તાકાત લગાવશે. મુંબઇનું જનજીવન સંપૂર્ણ રીતે ખોરવાયું છે. મુંબઇમાં બજારો - દુકાનો - બેસ્ટની બસો બંધ ઉપરાંત જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની હેરફેર પણ ખોરવાય ગઇ છે. હોટલો - રેસ્ટોરન્ટ પણ બંધ છે.

છત્રપતિ શિવાજી માર્કેટ યાર્ડ ટ્રડર્સ અસોસિએશને પણ આ બંધના સમર્થન કર્યુ છે. તેમનું કહેવું છે કે સોમવારે ફળ શાકભાજી, ડુંગળી, બટારાના બજાર સંપૂર્ણ રીતેઙ્ગબંધઙ્ગરહેશે. વ્યાપારી સંગઠનને તમામ વ્યાપારીઓને સોમવારે પોતાની દુકાનઙ્ગબંધઙ્ગરાખવાની અપીલ કરી છે. તેમણે ખેડૂતોને અપીલ કરી છે કે તે પોતાની ઉપજથી સોમવારે શહેરોમાં ન જાય. જો કે આ દરમિયાન જરૂરી સેવાઓ ચાલુ રહેશે. ખેડૂત સભામાં આ બંધને સમર્થન આપ્યું છે. સંગઠને કહ્યું છે કે ૨૧ જિલ્લામાં આ કાર્યકર્તા સમાન વિચાર વાળા સંગઠનોની સાથે બંધનો સફળ બનાવવા માટે સમન્વય સ્થાપિત કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર સરકારના ૩ ગઠબંધન દળો કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાની ઘટનામાં માર્યા ગયેલા ખેડૂતોના સમર્થનમાં રાજયવ્યાપી બંધનું આહ્વાન કર્યુ છે.ઙ્ગત્રણેય પાર્ટી સંયુકત ધરના પ્રદર્શન કરશે.

મહારાષ્ટ્ર બંધ દરમિયાન મુંબઈ પોલીસે અયોગ્ય ઘટનાથી બચવા માટે રસ્તાઓ પર કર્મીઓની તૈનાતી વધારી છે. પોલીસ અફસરોનું કહેવું છે કે રાજય રિઝર્વ પોલીસ દળની ૩ કંપનીઓ, હોમગાર્ડના ૫૦૦ જવાન અને સ્થાનીય સશસ્ત્ર એકમોના ૪૦૦ જવાનો પહેલાથી નવરાત્રિ દરમિયાન સુરક્ષા માટે વધારાની જનશકિતના રૂપમાં તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ બંધને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે વધારે જનશકિતનો ઉપયોગ કરશે.

ત્યારે ભાજપે આ મહારાષ્ટ્ર બંધનો વિરોધ કર્યો છે. વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સત્તારૂઢ દળ આ મામલામાં રાજકારણ કર રહ્યા છે. ભાજપના ધારાસભ્યા નિતેશ રાણેએ પણ રાજય સરકારને ચેતવણી આપી છે કે તે દુકાનો જબરજસ્તી બંધ ન કરાવે. જો એમ કર્યું તો તેમને ભાજપ કાર્યકર્તાનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે પોલીસ એ સુનિશ્ચિત કરે કે કોઈ પણ દબાણ ન કરવામાં આવે.

ત્યારે એનસીપીના પ્રવકતા નવાબ મલિકે  જણાવ્યું હતુ કે અડધી રાતથી પ્રદેશ વ્યાપી બંધની શરૂઆત થશે. તેમણે કહ્યું હતુ કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના કાર્યકર્તા નાગરિકોને મળી રહ્યા છે અને તેમને બંધમાં સામેલ થવા તથા ખેડૂતોની સાથે એકજૂથતા દર્શાવવાનો આગ્રહ કરી રહ્યા છે. રાકાંપા નેતા કહ્યું કે એમવીએની માંગ છે કે કેન્દ્રીય ગૃહ રાજય મંત્રી અજય મિશ્રાને સસ્પેન્ડ કરવામાં આવે.

મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે તેમની પાર્ટીએ કાર્યકર્તા અને નેતા રાજયભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે મૌન વ્રત કરશે. શિવસેનાના રાજયસભા સદસ્ય સંજય રાઉતે શનિવારે કહ્યું હતુ કે તેમની પાર્ટી સંપૂર્ણ શકિત સાથે બંધમાં સામેલ થશે.

(10:24 am IST)